Tuesday, June 29, 2010

ચોમાસુ ક્યાં અટવાયું ? ? ?

ચોમાસુ ક્યાં અટવાયું ? ? ?

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરેલા અસહ્ય ભાવવધારાને લીધે કારમી મોંઘવારીથી દર્દનાક ભીંસ અનુભવી રહેલી દેશની પ્રજાને મેઘરાજા પણ કનડવા બેઠા છે. ગુજરાત સહિત ઘણા ઈલાકાઓમાં વિલંબિત બનવા બેઠેલા ચોમાસાએ બાપડી પ્રજા પર બેવડો માર પડે એવી ચિંતાજનક દહેશત ઊભી કરી છે.

મે મહિનાના છેલ્લા દિવસોમાં આવેલું પેલું વાવાઝોડું લૈલાએવા તે કમનસીબ ચોઘડિયામાં આવ્યું કે એણે ચોમાસાનો પ્રારંભિક કરન્ટ જ જાણે વેરવિખેર કરી નાખ્યો. પ્રિ-મોન્સુન એક્ટિવિટી આમેય કસુવાવડ જેવી જ હોય છે. કાયદેસરના ચોમાસા પહેલાંની વાવાઝોડા-તોફાન- વરસાદની સ્થિતિને લીધે ચોમાસુ નબળું પડી જાય છે.

મોસમનો પૂરતો વરસાદ પડતો નથી. પ્રારંભિક દિવસો તરબતર રહે પણ પાછોતરા દહાડા કોરાધાકોર રહે છે. આ વર્ષે પણ (અત્યાર સુધીની સ્થિતિએ) આવી જ હાલત થવાની દહેશત છે. દક્ષિણ પશ્ચિમના વરસાદી વાયરા એની પરંપરાગત ગતિ મુજબ આ વખતે ચાલતા હતા. કેરળમાં જૂનના પ્રારંભે ચોમાસુ બેઠું હતું.

ગોવા-કોંકણ થઈને મુંબઈમાં પણ ૧૦મી જૂનની આસપાસ અને ગુજરાતમાં ૧૫મીની આસપાસ ચોમાસુ વરસાદ શરૂ થયો હતો પરંતુ તકલીફ એ છે કે છેલ્લા ૧૨ દિવસ દરમિયાન ગુજરાતના આકાશમાં હજુ સંપૂર્ણ રીતે ચોમાસાની સિસ્ટમ બંધાઇ નથી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સ્થિતિ છે. કેટલાક ભાગોમાં જે કંઇ વરસાદ થયો છે ને થઇ રહ્યો છે એનાથી વાવણી થોડી થાય? રાજ્યનાં લગભગ તમામ જળાશયો-તળાવોનાં તળિયાં દેખાઈ ગયાં છે.

વાદળાં ઘેરાય છે પણ વરસતાં નથી. હવામાન ખાતાનાં વરસાદની તારીખોના વરતારા છેતરામણા બની રહ્યા છે. હજુ પહેલા રાઉન્ડનાં ઠેકાણાં નથી ત્યાં એ બીજા રાઉન્ડના ચકરાવા કાપવા માંડ્યું છે. બેફામ ભાવવધારા કરનારી અને છતાંય ૨૦૧૨માં બે આંકડાના વિકાસદરના ચીપિયા પછાડતી સરકારના નાણાં પ્રધાન પ્રણવ મુખરજી પોપટની માફક બોલતા આવ્યા છે કે ભાવઘટાડાનો આધાર આ વખતના ચોમાસાની સ્થિતિ પર રહેશે.

હવે એક બાજુ બળતણના ભાવ વધતા બધ્ધે બધ્ધું મોંઘું થવા બેઠું હોય ને મેઘરાજા ય રૂસણાં લઈને બેઠા હોય ત્યારે પ્રજાની હાલત કેવી કપરી થશે? ફુગાવો બેફામ બનતાં વ્યાજદર વધારવા રિઝર્વ બેન્ક ઘૂઘરા બાંધીને બેઠેલી છે. નબળું ચોમાસુ પ્રજાના જીવતરને રગદોળી નાખશે. રાજા (સરકાર) તો (ભાવવધારીને) દયાહીન ભલે થયો, મેઘરાજા તમે હવે દયા કરજો બાપલા!!

Thursday, June 24, 2010

હાઈ કોર્ટે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ ફગાવી

બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની સર્વોત્તમ પાંચ (બેસ્ટ ઓફ ફાઈવ) ફોમ્યુંલા બુધવારે મુંબઈ વડી અદાલતે રદબાતલ કરી હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે બહાર પાડેલો આદેશ રદ કરવાનો હુકમ અદાલતે કર્યો હતો. હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યા. સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

દરમિયાન રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને બે દિવસોમાં આગામી નિર્ણય લેવાની જાહેરાત કરતાં એટલો વખત પ્રવેશ પ્રક્રિયા રોકવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

બેસ્ટ ઓફ ફાઈવ ફોમ્યુંલાના વિરોધમાં આઈસીએસઈ બોર્ડના ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ વડી અદાલતમાં અરજી કરી હતી. એ વાલીઓને તેમના બાળકોને (સંબધિત બોર્ડસને) પણ બેસ્ટ ઓફ ફાઈવલાગુ કરવાની માગણી કરી હતી. અરજી દાખલ કર્યા પછી અદાલતે અગિયારમા ધોરણમાં પ્રવેશને હંગામી ધોરણે સ્થગિત કર્યો હતો. મંગળવારે આ બાબતની દલીલો પૂર્ણ થતાં ન્યાયમૂર્તિઓએ ચુકાદો જાહેર કર્યો હતો. એ દરમિયાન તેમણે આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડના છાત્રોના વાલીઓને ઠપકો આપ્યો હતો. આ પ્રશ્નમાં કોઈપણ વિદ્યાર્થીનાં હિતોને આંચ આવે એવું લાગતું નથી,’ એવું નિરીક્ષણ પણ અદાલતે નોંધ્યું હતું. ત્યાર પછી ખંડપીઠે બુધવારે બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ રદ કરવાનો હુકમ કર્યો હતો.

વિદ્યાર્થીઓ વિમાસણમાં

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈસીએસઈ, સીબીએસઈ અને એસએસસી બોર્ડસના વિદ્યાર્થીઓને સમાન ધોરણે લાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પદ્ધતિઓમાં પર્સેન્ટાઇલ ફલોપ ગઈ, ૯૦:૧૦ કવોટા કચરા ટોપલીમાં ફેંકાઈ અને હવે બેસ્ટ ઓફ ફાઈવનાપાસ થઈ છે. બેસ્ટ ઓફ ફાઈવના સરકારી જીઆરને પણ ન્યાયતંત્રે બિનઅમલી બનાવતાં આ મુદ્દે સરકાર ઊંધે માથે પટકાઈ છે.

તેથી ૧૧મા ધોરણમાં ઊંચા શિકર સર કર્યાના ઝંડા રોપનારા વિદ્યાર્થીઓ વિમાસણમાં પડ્યા છે. રાજ્ય સરકારના શાળા શિક્ષણ વિભાગે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ બેસ્ટ ઓફ ફાઈવનો જીઆર બહાર પાડ્યો હતો. પરંતુ આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડસના વિદ્યાર્થીઓના વાલીઓએ પર્સેન્ટાઇલ અને ૯૦:૧૦ કવોટાની માફક આ વિકલ્પને પણ વડી અદાલતમાં પડકાર્યો હતો. તેની અદાલતી લડાઈમાં રાજ્ય સરકાર ફરી પરાજિત થઈ હતી.

રાજકીય પક્ષોની ઉગ્ર પ્રતિક્રિયાઓ

દરમિયાન આ વિવાદાસ્પદ પદ્ધતિ અંગે સરકાર વિરુદ્ધ ચુકાદો આવતાં કોંગ્રેસ અને એનસીપી બચાવની ભૂમિકામાં આવી ગયા છે અને વિરોધ પક્ષો ટીકા કરવા ખડે પગે તૈયાર થઈ ગયા છે. આ રીતે વારંવાર નવી નવી પદ્ધતિઓની અજમાયશથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગૂંચવણમાં મુકાતા હોવાનું જણાવતાં તાજેતરની ગૂંચવણનો અંત આણવા પોતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને મળવા જનાર હોવાનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

*PMOએ અખબાર પાછળ 12 લાખ ખર્ચ્યા

પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાના અધિકારીઓ માટે આવનાર અખબાર અને સામયિકો પર વર્ષ 2009થી 2010 દરમિયાન લગભગ 12 લાખ રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અધિકારના કાયદા હેઠળ અફરોઝ આલમ સાહિલ નામના એક કાર્યકર્તા તરફથી કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.

પીએમઓએ જણાવ્યું છે કે આ હિન્દી અને અંગ્રેજી સહીત વિભિન્ન ભાષાઓના 43 અખબાર અને 45 સામયિકો સબ્સ્ક્રાઈબ કરે છે. કાર્યકર્તાએ પૂછેલા સવાલોના જવાબમાં પીએમઓમાંથી આ જવાબ મળ્યા હતાં.

વાર્ષિક ખર્ચના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે અખબાર અને સામયિકો સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીથી ખરીદવામાં આવે છે, જેના માટે વર્ષ 2009-10 દરમિયાન 1.19 મિલિયન રૂપિયા આપવામાં આવ્યા હતાં.

પીએમઓએ જણાવ્યું કે વર્ષ 2005થી 06માં તેણે 908,735 રૂપિયા, 2006-07માં 1.01 મિલિયન રૂપિયા, 2007-08માં 1.03 મિલિયન રૂપિયા અને 2008-09માં 1.20 મિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.

*ટોપટેનમાં ઝી ટીવીના પાંચ શો

વર્ષનાં 24 અઠવાડિયામાં હીન્દીના મનોરંજન ટીવી ચેનલોમાં સ્ટાર પ્લસ નંબર વન રહ્યુ છે. ત્યારબાદ કલર્સ અને જી ટીવીનું સ્થાન આવે છે. પરંતુ ઝી ટીવીનો "પવિત્ર રિશ્તા" નો આ વખતના શો ને સૌથી વધુ લોકોએ જોયો. આ સીરિયલની ટીવી રેટીંગ સૌથી વધુ રહી હતી.

સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં કલર્સ ચેનલ પર દર્શાવાતી સીરિયલ "ઉતરન" (ટીવી આર 5.4)આ હપ્તે ચોથા સ્થાન પર રહી. સ્ટાર પ્લસ પર દર્શાવાતી સીરિયલ "પ્રતિજ્ઞા" આ આવૃતીમાં ત્રીજા સ્થાન પર રહી.અને આની ટીવી રેટીંગ 5.3 રહી.

"બાલીકા વધૂ" અને "ના આના ઇસ દેસ લાડો" ની ટીવી રેટીંગ ક્રમશઃ 4.9 અને 4.8 રહી છે. અને આ બન્ને શો વર્ષના 24માં હપ્તે ચોથા અને પાંચમાં સ્થાન ઉપર રહી. ટોચના દશ કાર્યક્રમોમાં સામેલ અન્ય શો, "અગલે જનમ મોહે બીટીયા કિજો", "ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર", "ઝાંસી કી રાની", "યે રિશ્તા ક્યાં કહેલાતા હે", અને "યહા મૈં ઘર ઘર ખેલી" રહ્યાં હતાં. આ રીતે 24માં હપ્તામાં પહેલા દસ કાર્યક્રમોમાં ઝી ના પાંચ શો સામેલ રહ્યાં છે.

* લાલુ સવર્ણ જાતિઓને પટાવવાની કોશિશમાં

હંમેશા પછાત જાતિઓ જાતિઓની રાજનીતિ કરનારા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ હવે અગડી જાતિને લુભાવવામાં લાગી ગયા છે. ફરીથી બિહારમાં સત્તાનો ભોગવટો કરવા મળે તે માટે લાલુ પ્રસાદ યાદવ આમ કરવા માટે મજબૂર છે.

લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય અગડી જાતિઓ એટલે કે સવર્ણોની વિરુદ્ધ રહી નથી. લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી દલિત, મુસ્લિમ વર્ગની સાથે સાથે અગડી જાતિના વિકાસ માટે કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે લાલુ અત્યાર સુધી ઓબીસી, દલિત અને મુસ્લિમ વર્ગોને લોભાવવા માટે સવર્ણ જાતિઓનો વિરોધ કરતા રહ્યાં છે. બિહારમાં નવેમ્બર આસપાસ ચૂંટણી થવાની સંભાવના છે.

આ વર્ષના અંત સુધી થનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી સાથે તાલમેલ કરે તેવી સંભાવના છે. પરંતુ કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધનના કોઈ સંકેતો નજરે પડી રહ્યાં નથી. કોંગ્રેસ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાના મૂડમાં છે. ભાજપ અને જનતાદળ-યૂનાઈટેડને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી માનીને લાલુ પ્રસાદ યાદવે ઓબીસી વાળી પરંપરાગત વોટબેંકથી આગળ જવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા બેગૂસરાયમાં પોતાના ભાષણમાં તેમણે અગડી જાતિઓ માટે કંઈક એવું કહ્યું હતું કે જેનાથી તેઓ માત્ર ભડક્યા ન હતા, પણ લાલુને બિહારની સત્તામાંથી દૂર પણ ક્રયા હતા. હવે લાલુ કહે છે કે તેમની વાતોને વિક્ષિપ્ત કરીને રજૂ કરવામાં આવી હતી. તેમના તે કથિત ભાષણમાં પછાત અને દલિત વર્ગના લોકોને ચાર સવર્ણ જાતિઓ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થ વિરુદ્ધ ભડકાવામાં આવ્યા હતા.

*૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સંસદનુ વષૉસત્ર

સંસદનુ વષૉ સત્ર ૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સુધી યોજાવાનો સંભવ છે. સંસદીય વર્તુળોએ કહ્યુ હતુ કે એક મહિના લાંબુ ચાલનાર આ સત્ર અંગે સંસદની કેબિનેટ સમિતિની બેઠકમાં તારીખો ટૂંક સમયમાં નકકી થવાની ધારણા છે.

સત્ર યુનિયન કાબૉઇડના વડા વોરેન એન્ડરસનને સલામત જવા દેવાયા સહિતના અનેક મુદે તોફાની બનવાના બધા સંકેતો છે. ભાજપે એન્ડરસનને ભારત લાવવાની માંગણી અને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલાનુ વળતર વધારવા લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવ લાવવાનો નિર્ણય પણ કરેલો છે.

લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ છે કે સત્રના આરંભના દિવસે ભોગ બનેલાને વળતર આપવા માટેની ૧૯૮૯ની સમજૂતી રદ કરવાની ખટલો ચલાવવા એન્ડરસનને ભારત લાવવા અને મૃતકોના છેલ્લા આંકડા પ્રમાણે વળતર વધારવાની માંગણી કરવા લોકસભાના ૧૮૪ (મતદાન લેવુ) નિયમ હેઠળ ભાજપ પ્રસ્તાવ રજૂ કરશે.

વિપક્ષ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ભાવ વધારો અને ઓનર કિલિંગ જેવા બીજા અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરાય એવી શક્યતા છે. સરકારની ઓનર કિલિંગ માટે આકરી શિક્ષા કરતુ બિલ રજૂ કરવાની યોજના છે. સત્ર દરમિયાન હાલમાં સંસદની સ્થાયી સમિતિ સમક્ષ પડેલ વિવાદાસ્પદ ન્યુકિલયર લાયાબિલીટી બિલ ચર્ચા અને મતદાન માટે રજૂ થાય એવો સંભવ છે.

* સાંસદોના પગાર વધીને બમણા થશે

જે ૧ હજારમાંથી વધીને ૨૦૦૦ થશે તેનો પણ લાભ મળશે. કાર્યાલય ખર્ચ પણ વધીને પ્રતિમાસ રૂ. ૩૪૦૦૦ થશે. જેમાં રૂ. ૨૦ હજારનો તોતિંગ વધારો થશે. કોન્સ્ટીટુઅન્સી એલાઉન્સ પણ બમણું થઈને દરેક સાંસદને રૂ. ૪૦ હજાર લેખે મળશે.

દરેક સાંસદને વર્ષે ઓછામાં ઓછી મફત પ૦ ફ્લાઈટો જોઈતી હતી પરંતુ સરકારે તે નકારી કાઢયું હતું. હાલ તેમને વર્ષે મળતી ૩૪ મફત હવાઈ મુસાફરીથી જ સંતોષ માનવો પડશે. પરંતુ તેઓ જો ટ્રેન મારફતે મુસાફરી કરે તો ફર્સ્ટ કલાસ એસી યાત્રાની દરેક વખતે તેમને સુવિધા મળશે.

દિલ્હીમાં આ સુવિધાઓમાં વિશેષ ઉમેરો એ છે કે તેમને પાણી અને વીજળી મફત અપાય છે પરંતુ સરકારે મફત ટેલિફોન કોલની સંખ્યા વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સુવિધા વાર્ષિક ૧,પ૦,૦૦૦ કોલ પૂરતી મર્યાદિત છે.

સાંસદોના પેન્શનમાં પણ વધારો

એક વખત સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાય ત્યારબાદ પેન્શનમાં પણ જંગી વધારો થશે.

સાંસદોને શું મળશે

પગાર + રૂ. ૨૦૦૦ (ડેઈલી એલાઉન્સ)+૩૪ મફત હવાઈ મુસાફરી+રૂ.૪૦,૦૦૦ કાર્યાલય ખર્ચ+રૂ. ૪૦ હજાર (કન્સિટ્યુઅન્સી એલાઉન્સ)+૧.પ લાખ મફત ટેલિફોન કોલ+ મફત ફર્સ્ટ કલાસ એસી રેલવે મુસાફરી.

શું મળતું હતું

રૂ. ૧૬૦૦૦ પગાર+રૂ. ૧૦૦૦ ડેઈલી એલાઉન્સ+૩૪ મફત વિમાની મુસાફરી+રૂ. ૨૦ હજાર (કાર્યાલય ખર્ચ)+ રૂ.૨૦૦૦૦ (કન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ)+ ૧.પ લાખ મફત ટેલિફોન કોલ્સ+ દિલ્હીમાં રહેવાનું અને પાણી વીજળી મફત.

*ગુજરાતીઓ અટવાયા

* ગુજરાતીઓ અટવાયા

* ઇરાન વિરોધી ભારતીય વલણ પ્રશંસનીયઃUS

* 'BCCI એશિયનમાં ક્રિકેટ ટીમ મોકલે'

* સ્પાઇસ જેટના બંધ એ.સી.થી મુસાફરો ગૂંગળાયા

* શું માય નેમ ઈઝ ખાન’ ‘સ્લમડોગને પછાડશે?

બુધવારે વર્જિન એટલાન્ટિક એરવેઝની લંડનથી નેવાર્કની ફ્લાઈટમાં ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓ ભારે પરેશાન થઈ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ કનેક્ટિકટ પહોંચ્યા બાદ તો ખોરવાઈ જ ગઈ હતી, જેને કારણે પ્રવાસીઓને ત્યાં ચાર કલાક ત્યાં પ્લેનમાં જ બેસી સહેવું પડ્યું હતું. અંતે બસ મારફતે તેઓ નેવાર્ક પહોંચ્યા હતા.

*9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

* 9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

*અભિનો એશ સાથેનો સૌથી કડવો પ્રસંગ!

અભિષેક બચ્ચન પોતાની પત્ની એશને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ ગયો હતો પરંતુ આ ડિનર અભિ માટે સૌથી મુશ્કેલીરૂપ રહ્યું હતું. અભિને જીવનનો સૌથી કડવો અનુભવ કેન્ડલ લાઈટ ડિનર વખતે થયો હતો.

આ અંગે અભિષેકે કહ્યું હતું કે, એક વખત એશે અભિને દરિયાની નજીક કેન્ડલ લાઈટ ડિનર લેવાનું કહ્યું હતું. પરંતુ આ ઘટના તેના માટે દુખદાયક બની ગઈ હતી.

અભિએ કહ્યું હતું કે, ફિલ્મોમાં દરિયા વચ્ચે કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર ઘણું જ ખરાબ હોય છે. દરિયા પાસે પવન આવતો રહેતો હોવાને કારણે કેન્ડલ બુઝાઈ જતી હતી.

દરિયા આગળ ઘણી જ રેતી ઉડતી હોવાથી અભિ અને એશના કપડાં રેતીવાળા થઈ ગયા હતા. આટલું જ નહિ તેઓના જમવામાં પણ રેતી હતી.

આ બાબતથી દુખી અભિએ ક્યારેય એશને દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર લેવાની ના પાડી દીધી હતી.

હજી સુધી અભિને રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનો કોન્સેપ્ટ સમજાયો નથી. તેના માટે ડેટ પર ડિનરમાં જવું તે બાબત ઘણી જ ખરાબ છે. તેના મતે ડિનર પર પ્રેમિકા ક્યારેય ખુશ થશે નહિ.

* કેટની ડોક મચકોડાઈ ગઈ!

વરસાદને કારણે કેટરિનાની પાર્ટીનું આયોજન કરી શકી નથી. હવે, ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગીની દોબારાના શુટિંગ દરમિયાન કેટરિનાની ડોક મચકોડાઈ ગઈ છે.

સોમવાર સવારે કેટબેબી જીમમાં હતી અને તે દરમિયાન તેની ડોક મચકોડાઈ ગઈ હતી. ત્યારબાદ તેને ઘણો જ દુખાવો થયો હતો.

કેટે આ અંગે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે તેની સાથે આવું કઈ રીતે બન્યું. કેટ પોતાનું માથુ પણ હલાવી શકતી નથી.

આ ફિલ્મમાં કેટબેબીએ એક્શન દ્રશ્યો ભજવવાના છે અને તેથી જ તે નિયમિત રીતે જીમમાં જાય છે. જો કે કેટે પ્રોફેશનલની જેમ શુટિંગ ચાલું જ રાખ્યું છે.

*65 વર્ષે ટોપલેસ ફોટોશુટ

હોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી ડેમ હેલેન મિરેન લવ રાન્ચ નામની ફિલ્મ માટે એક મેગેઝીનમાં ટોપલેસ ફોટો આપ્યો છે.

હેલેને ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે હજી પણ સારી યુવતી છે કે જે ખરાબ થવા માટે તૈયાર છે.

જો કે તેણે સ્વીકાર્યુ હતું કે, તે ક્યારેય ખરાબ યુવતી થશે નહિ. હેલેને કહ્યું હતું કે, તે ઘણી જ ડરપોક અને સંન્યાસી જેવી છે.

1979મં ફિલ્મ કાલીગુલામાં મસ્તીખોર યુવતીની ભૂમિકા ભજવ્યા પછી હેલેને કહ્યું હતું કે, તેણે પોતાની સેક્સ્યુએલિટિનો ઉપયોગ કરિયરની શરૂઆતમાં કર્યો હતો.

હેલેને કહ્યું હતું કે, તે સારી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’
અરૂણા શિલ્ડની બીજી હિન્દી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતા શુક્રવારના રોજ રીલિઝ થઈ રહી છે. અરૂણા હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ગુરૂવારના રોજ અરૂણા નોઈડામાં ફિલ્મના પ્રમોશન અર્થે આવી હતી. આ સમયે અરૂણાએ કહ્યું હતું કે, તેને ચુંબન કરવું ગમે છે કારણ કે, તેમાં માત્ર એક જગ્યાએ ઉભા જ રહેવાનું હોય છે.

આટલું જ નહિ પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ પ્રિન્સમાં અરૂણાએ બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયને ઉત્કટ ચુંબનો કર્યા હતા. આ અંગે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અરૂણાએ કહ્યું હતું કે, વિવેક ઘણો જ સારો કિસર છે.

જો કે અરૂણાએ સ્વીકાર્યુ હતું કે, તેની આગામી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતાનો કો સ્ટાર પ્રશાંતને ચુંબન કરવાની બિલકુલ મજા આવી નહોતી. પ્રશાંત ચુંબન કરતાં સમયે અસ્વસ્થ હતો.

જો કે થોડા સમય પછી પ્રશાંત કમ્ફર્ટેબલ થઈ ગયો હતો અને અરૂણા અને પ્રશાંતના ચુંબનો દ્રશ્યોનું શુટિંગ કરવામાં આવ્યું હતું.

મિસ્ટર સિંહ મિસિસ મહેતામાં નગ્ન પોઝ આપવા અંગે અરૂણાએ કહ્યું હતું કે, નગ્ન પોઝ તેના માટે કોઈ અઘરી વાત નહોતી. તેણે તો સ્ક્રીપ્ટમાં જે હતું તે પ્રમાણે જ કામ કર્યુ છે. નગ્ન પોઝને ફિલ્મમાં આર્ટીસ્ટીક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અંતે અરૂણાએ કહ્યું હતું કે, તેને વિવાદોથી બિલકુલ ડર લાગતો નથી.








સ્ટુડન્ટ વિઝા અને યુ.એસ. કોન્સ્યુલટ

મુંબઈ સ્થિત કોન્સ્યુલટ જનરલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આવકારે છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની કેટલીક યુનિવર્સિટીઓ અમેરિકામાં આવેલી છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીના કેમ્પસ અને ક્લાસરૂમ સુધી પોતાની સાથે વૈવિધ્ય, બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા લઈ જાય છે. તેમના અનુભવ પરથી છતું થાય છે કે ભારતીય અર્થતંત્રને ગતિશીલ અને વધારે સધ્ધર બનાવવામાં તેમનું યોગદાન મહત્વનું રહેશે. આવાં સ્નાતકો વર્તમાન અને ભવિષ્યમાં ભારત- અમેરિકાના સામાજિક અને સાંસ્કૃતિક સમન્વયના આધારસ્તંભ બની રહે છે.


સ્ટેટ ડિપાર્ટમેન્ટના ૨૦૦૯ના રિપોર્ટ અનુસાર અમેરિકાની સ્કૂલ્સમાં ભારતના ૧ લાખ ૩ હજાર કરતાં વધારે તેજસ્વી વિદ્યાર્થીઓ ભણે છે. તે જોતાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓમાં વિશ્વમાં ભારત પહેલાં નંબરે છે. આમાંના ઘણાખરા વિદ્યાર્થીઓના અમેરિકાના પ્રવાસની શરૂઆત મુંબઈ ખાતેની યુ.એસ. કોન્સ્યુલટ જનરલથી થાય છે. કોન્સ્યુલટ જણાવે છે કે વિદ્યાર્થીઓએ તેમના જે તે અભ્યાસક્રમના પ્રોગ્રામની નિધૉરિત તારીખ કરતાં પહેલાં અગાઉથી વિઝા માટેની અરજી કરવી, તેની જાણ કરવી અને તૈયારી રાખવી.


કોન્સ્યુલટે વિઝા સરળતાથી મળે તે માટેના શક્ય તેટલાં પ્રયાસ હાથ ધર્યા છે. અમેરિકાની સ્કૂલમાં પ્રવેશ મળે કે તરત જ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીમાંથી સ્વીકાર માટેનું ક- ૨૦ ફોર્મ મેળવી લેવું જોઈએ. ત્યાર પછી અરજદાર વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (SEVIS) ફી ચૂકવવી પડે છે. આ ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.


વધુ માહિતી માટે અરજદારે કોન્સ્યુલટની વેબસાઈટ http://mumbai.usconsulate.gov પર સંપર્ક કરવો. વિઝા અરજી માટેની કાર્યપદ્ધતિને થોડાં સમય પહેલાં જ કોન્સ્યુલટે નવા ઓનલાઈન નોન ઇમિગ્રન્ટ વિઝા (NIV) અરજી ફોર્મ DS-૧૬૦ અંતર્ગત એકસૂત્રે સાંકળી છે. દરેક અરજદારે ઓનલાઈન ફોર્મમાં માગેલી અનિવાર્ય માહિતી સંપૂર્ણપણે ભરવી જરૂરી છે. ત્યાર પછી ઈન્ટરવ્યૂ અને એપોઈન્ટમેન્ટ માટેનું શિડ્યૂલ જાણવા માટે www.vfs-usa.co.in પર ક્લિક કરો. વેબસાઈટમાં જણાવેલા મુદ્દાને અનુસરીને વિદ્યાર્થીઓ વહેલી તકે વિઝા મેળવી શકશે.


મુંબઈના કોન્સ્યુલર ચીફ ડેવિડ ટેલર કહે છે, ‘વિઝા અરજી કરનારા વિદ્યાર્થીઓએ વ્યક્તિગત ઈન્ટરવ્યૂ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ કલેક્શન માટે કોન્સ્યુલટ જનરલ અધિકારીને રૂબરુ મળવું જરૂરી છે. મુલાકાત દરમિયાન અરજદાર નિરાંતે, સત્યને વળગી રહી તેમની વાત અમને જણાવે એવું અમે ઈચ્છીએ છીએ. તદુપરાંત વિદ્યાર્થીઓ પોતે દેશ અને કુટુંબ સાથે જોડાયેલા છે અને અમેરિકામાં શિક્ષણ પાછળ થતાં ખર્ચને પહોચી વળવા માટેનું જરૂરી ફન્ડ ધરાવે છે એ બાબતે કોન્સ્યુલર અધિકારીને સંમત કરવા જરૂરી છે.’


મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા ઝડપથી મળી જાય છે. અને તેઓ અમેરિકાની યુનિવસિર્ટીઝના સારા અનુભવ મેળવવા માટે જાય છે. સ્ટુડન્ટ વિઝા અંગેની વધુ માહિતી માટે અમારા અન્ય


ઓનલાઈન સંપર્ક:


કોન્સ્યુલર અફેર્સ બ્યુરો: http://travel.state.gov/visa_ services.htmlયુ.એસ. કોન્સ્યુલટ જનરલ મુંબઈ: http://mumbai.usconsulate.govધ યુ.એસ.-ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન: www.usief.org.inનોન ઇમિગ્રન્ટ વિઝા અંગેની વિશેષ પૂછપરછ માટે mumbainiv@state.gov પર ઈ મેલ કરવો. ઈ મેલમાં કોન્સ્યુલર ઈન્ફર્મેશન યુનિટને ‘વિષય: રિકવેસ્ટ ફોર સ્પેસિફિક ઈન્ફર્મેશન’ લખવું.


વધુમાં ટેલર કહે છે, ‘અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ. અમારી મુંબઈ ઓફિસના બધા જ કર્મચારીઓ તમને મળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.’




પાળતુ કૂતરાએ તેના માલિક પર ટ્રક ચઢાવી દીધી
અમેરિકામાં હર્નેડો કાઉન્ટી વિસ્તારમાં એક વ્યક્તિ પર તેના જ પાળતુ કુતરાએ તેનો ટ્રક ચઢાવી દીધી હતી.

ક્રિસ્ટોફર બિશપ નામનો વ્યક્તિ તેના ટ્રકમાંથી પડતુ ઓઇલ ચેક કરવા માટે ચાલુ ટ્રકને ન્યુટ્રલમાં નાંખીને ટ્રકની નીચે ગયો હતો. આ જ સમયે તેના કુતરાને શું બુદ્ધિ સુઝી કે તેણે કેબિનમાં જઇને ટ્રકને ગિયરમાં નાંખી દીધો હતો.

આ સમયે ટ્રક ચાલુ થઇને તેના બિશપની શરીરના ડાબા ભાગ ઉપર ચઢી ગયો હતો.

જો કે બિશપે જેમ તેમ કરીને બહાર આવીને ટ્રકને કાબૂમાં કરી દીધો હતો. જો કે બિશપને વધારે દુખાવો થતા તેણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે બિશપની જિંદગી જોખમની બહાર છે.




સંજુબાબાએ માન્યતાના પુત્રનું અપહરણ કર્યુ હતું?

માન્યતાના ભૂતપૂર્વ પતિ મેહરાજ શેખે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે કે, સંજુબાબાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પુત્રનું અપહરણ કર્યુ હતું. શેખે ફરિયાદ કરી છે કે, તેણે એનએમ જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં તેનો કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.


જેલે આ અંગે ક્રિમીનલ પીટીશન પણ ફાઈલ કરી છે. પબ્લિક પ્રોસીક્યુટર માનકુંવર દેશમુખે કહ્યું હતું કે, કોર્ટે અમને(રાજ્ય સરકાર) એફિડેવિટનો જવાબ આપવા અંગે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. વર્ષ 2008માં ભોજપુરી અભિનેત્રી નગ્માને અશ્લીલ મેસેજ મોકલવા બદલ શેખ પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.


શેખે આરોપ મૂક્યો છે કે, દત્તના અંડરવર્લ્ડ મિત્રોએ તેના છ વર્ષના પુત્ર મુસ્તફાનું 24 ડિસેમ્બર 2009ના રોજ અપહરણ કર્યુ હતું.


સંજુએ શેખ અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. શેખે સંજય દત્ત વિરૂદ્ધ દ્વિપત્ની અને વ્યભિચારનો કેસ દાખલ કર્યો હતો અને સંજુએ આ અંગે શેખને ધમકીઓ આપી હતી. શેખે દાવો કર્યો છે કે, તેની પત્ની માન્યતાએ જ્યારે સંજય દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તેણે છૂટાછેડા લીધા નહોતા.


વધુમાં શેખે કહ્યું હતું કે, દત્તના મિત્રોએ તેની પર અશ્લીલ મેસેજનો આરોપ મૂક્યો છે. દત્તે તેના હૈદરાબાદના ઘરમાં અંડરવર્લ્ડના મિત્રોને મોકલ્યા હતા અને તેઓએ શેખના પરિવારને ધમકી આપી હતી કે, જો શેખ દત્તની વાતો નહિ માને તો મુસ્તફાને પાછો આપવામાં આવશે નહિ. ત્યારબાદ તરત જ શેખે પત્રકાર પરિષદ બોલાવીને માન્યતાને છૂટાછેડા આપ્યા હોવાની જાહેરાત કરી હતી.


અરે આ કેળુ છે કે ઇંડુ ?
ચીનના અનહુઇ પ્રાન્તમાં એક મરઘીએ કેળાના આકાર જેવું ઇંડુ આપ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇંડુ જોવા મળતુ નથી.

જ્યારે એક બ્રિટિશ પરિવારની મરઘીએ વર્લ્ડ રેકોર્ડ કરતા એક જ દિવસમાં એક સાથે 14 ઇંડા મૂક્યાં હતા. સરાહ નામની મરઘીએ માત્ર બે જ કલાકના સમય ગાળામાં એક ડઝનથી પણ વધારે ઇંડા મૂકીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

















ઓબામા પર આક્રમણ !
વિશ્વના સૌથી શક્તિશાળી નેતા કે જેનાથી સૌ ડરે છે તેને એક નાનકડી એવી માખીએ હેરાન પરેશાન કરી મૂક્યા હતા. એર્ફોડેબલ કેર એકટ એન્ડ ધ ન્યૂ પેશન્ટ બિલ ઓફ રાઈટસ પર વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમ ખાતે યોજાયેલા ટીવી ટોક શોમાં બરાકને હેરાન પરેશાન કરવા ક્યાંકથી એક માખી આવી પહોંચી હતી. વારંવાર આ માખીને ઉડાડવાના પ્રયાસ કરતા ઓબામા જોવા મળ્યા હતા. તેમણે જો કે, જીવદયાનું પાલન કરતા હોય તેમ માખીને મારી નહતી.







ભજ્જી નવી પ્રેમિકાની શોધમાં!
ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ અને બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા વચ્ચે અફેયર હોવાની વાત ઘણી જૂની છે. હવે, તાજા સમાચાર પ્રમાણે આ બંને અલગ થઈ ગયા છે. માર્ચ મહિનામાં ભજ્જીની બહેનના લગ્ન હતા અને આ સમયે ભજ્જીએ ગીતા બસરાને પોતાના માતા-પિતા સાથે મુલાકાત પણ કરાવી હતી અને તેઓએ લગ્નની વાત પણ કરી હતી.

જો કે ગીતાના મિત્રના જણાવ્યા પ્રમાણે, ભજ્જીએ સંબંધોનો અંત લાવી દીધો છે. હવે, ભજ્જી એક નવી પ્રેમિકા શોધી રહ્યો છે. જો કે હજી પણ ગીતા અને ભજ્જી વચ્ચે બોલવાના સંબંધો તો છે. તેઓની વચ્ચે કોઈ દુશ્મની કે કડવાશ નથી. તેઓની વચ્ચે આઈપીએલ પછી મતભેદો શરૂ થયા હતા. તેઓની વચ્ચે સમજણ અને એકબીજાની લાગણી સમજી શકવાનો અભાવ હોવાથી તેઓ અલગ થઈ ગયા છે.

ગીતા આ સમયે ઘણી જ હતાશ થઈ ગઈ છે. તે ભજ્જી સાથે સાચા મનથી જોડાયેલી હતી. હરભજનની મેચ હોય ત્યારે ગીતા ભજ્જીને ચિયર અપ કરવા માટે મેદાનમાં ઘણી વાર જતી હતી.

ગીતાને આ સંબંધો પ્રત્યે ઘણું જ માન હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના ઘણાં મિત્રોએ ગીતાને આ સંબંધોનો અંતે કેમ આવ્યો તેમ પૂછ્યું છે. જો કે હાલમાં તો ગીતાએ આ અંગે કંઈ પણ જણાવવાનો ઈનકાર કર્યો છે.

ગીતા ઘણી જ ઉદાસ થઈ ગઈ હોવાથી હાલમાં તેના મિત્રો તેની સાથે છે અને તેને કરિયર પર ધ્યાન આપવાનું સમજાવી રહ્યા છે. ગીતાને બોલિવૂડ ફિલ્મોની અનેક ઓફર મળી રહી છે અને હવે તે ફિલ્મો પર ધ્યાન આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.


અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.
અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.
. .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.